પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ના કહેવાય ના સહેવાય તેવો સ્ત્રીરોગ કષ્ટદાયક રોગ શ્વેતપ્રદર, LEUKORRHEA

છબી
 ના કહેવાય ના સહેવાય તેવો કષ્ટદાયક સ્ત્રી રોગ શ્વેતપ્રદર ( Leukorrhea) કે શરીર ધોવાવું.    નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા સ્ત્રીરોગ વિશે વાત કરીશું કે જેના વિશે મહિલાઓ વાત કરતાં પણ સંકોચ અનુભવે છે.    ના કહેવાય કે ના સહેવાય તેવા રોગનું નામ છે "શ્વેતપ્રદર" અંગ્રેજીમાં જેને લ્યુકોરિયા કહે છે અને લોકભાષામાં તેને શરીર ધોવાવું એવું કહેવામાં આવે છે.  શ્વેતપ્રદરનું શાસ્ત્રીય નામ શ્લેષ્મા યોનિ છે.શ્લેષ્મ એટલે કફ.   શ્વેતપ્રદર થવાના કારણો અને લક્ષણો  જે બહેનો ગળ્યા, ચીકણા,ભારે અને ઠંડા પદાર્થોનું વધુ પડતું સેવન કરે છે તેમને કફ વધી જઈને કફ યોની પ્રદેશમાં પ્રવેશીને તેને દૂષિત કરે છે.  પરિણામે યોનિમાર્ગમાંથી સફેદ અને સહેજ પીળા રંગનો તાંતણાવાળો ઠંડા કફનો સ્ત્રાવ થાય છે.  જેને લોકભાષામાં શરીર ધોવાવું કહેવાય છે.      અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે જે બહેનોને શ્વેત પ્રદરથી પીડાય છે તેમને મોટાભાગે કમરનો દુખાવો અને કબજિયાતની તકલીફ રહેતી હોય છે.            ##પરેજી## ૧) ગળ્યા, ચીકણા, ભારે અને ઠંડા પદાર્થો...

ઋતુરાજ વસંતના વધામણાં અને આરોગ્ય આર્યુવેદીક દ્રષ્ટિએ

છબી
 ઋતુરાજ વસંત અને આરોગ્ય આર્યુવેદીકની દ્રષ્ટિએ     નમસ્કાર મિત્રો,ઋતુરાજ વસંતઋતુનું આગમન થઈ રહ્યું છે. વૃક્ષો પર નવા પાન અને ફુલ આવવાની શરૂઆત થઈ ગઈ છે.  ધીમે ધીમે વૃક્ષો પુષ્પોથી આચ્છાદિત થઈને વન- ઉપવન સુગંધમય થઈને મહેંકી ઉઠશે ત્યારે આપણી ગુજરાતી ભાષાના ખુબજ જાણીતા અને મોટા ગજાના કવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની કાવ્યપંક્તિ ટાંકવાનું પ્રલોભન રોકી શકતો નથી. " આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી એ પગલા વસંતના."  ફાગણ-ચૈત્ર માસ વસંતઋતુ ગણાય છે પરંતુ પ્રકૃતિના અવલોકન પરથી જોઈએ તો જ્યારે વૃક્ષો અને વનસ્પતિઓના પાંદડા ખરી પડીને નવી કુંપળો ફુટે તથા નવા ફુલો આવે ત્યારે વસંતઋતુ ગણાય છે. વસંતઋતુમાં મનુષ્યોનો કફદોષ પ્રકોપ પામે છે.   આયુર્વેદના મહાન આચાર્યોએ વસંતઋતુમાં તંદુરસ્ત રહેવા માટેની ખુબ જ સુંદર અને સચોટ ગાઈડ લાઈન આપેલી છે તેના વિશે અને વસંત ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું તેના વિશે આપણે જાણકારી મેળવીશું.   સૌપ્રથમ જોઈએ તો શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે શરીરમાં કફ નો સંચય થાય છે ઉપરાંત શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અને શક્તિ...

કામણગારું ઔષધ સરસવનું તેલ

છબી
 કામણગારું ઔષધ સરસવનું તેલ  નમસ્કાર મિત્રો, આજે આપણે સરસવનું તેલ અને તેના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણકારી મેળવીશું.  ગુજરાત શરદી પ્રધાન પ્રદેશ છે.આધુનિક મેડિકલ સાયન્સ પાસે શરદી-શ્વાસનો જડમુળથી મટાડે તેવો ઈલાજ નથી.   શરદી દબાવી દબાવીને શ્વાસ અને ઉધરસના દર્દીઓ આખી જિંદગી ગોળીઓ-દવાઓના સહારે લાચાર જીવન જીવતા હોય તેવા દર્દીઓનું ગુજરાતમાં ખૂબ મોટું પ્રમાણ છે.  કફ અને વાયુ થનારા રોગોનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ વધારે છે ત્યારે આ રોગોથી બચવા અને થયેલા રોગોને જડમૂળથી નાબૂદ કરવા માટે ફક્ત અથાણાં બનાવવા સુધી સીમિત રહી ગયેલું સરસવનું તેલ ફરીથી આહારમાં પાછું લાવવાની ખાસ જરૂર છે.  સરસવના તેલમાં ઔષધીય ગુણો જોઈએ તો    સરસવનું તેલ સ્વાદમાં તીખું,ગરમ, તીક્ષ્ણ, કફ-વાયુનાશક પચવામાં હલકું , જઠરાગ્નિની વધારનાર ,મેદ તથા મળને ખોતરીને બહાર કાઢનાર ( ભેદક) છે.  સરસવના તેલના ઔષધીય ઉપયોગો ૧) શ્વાસ-અસ્થમામાં સવાર-સાંજ ૨૦ ગ્રામ સરસવ તેલ અને ૧૦ ગ્રામ ગોળ મેળવી પી જવું . ઉપર ઠંડું પાણી પીવું નહીં. આ ઉપચાર સાથે રોજ રાત્રે વીસ ગ્રામ સરસવના તેલમાં દસ ગ્રામ સિંધવ મીઠું નાખી સહ...

દેવોને પણ દુર્લભ મૃત્યુલોકનું અમૃત છાશ

છબી
    દેવોને પણ દુર્લભ મૃત્યુલોકનું અમૃત                           છાશ  નમસ્કાર મિત્રો આજે આપણે જેને મૃત્યુલોકનું અમૃત કહેવાય છે એવી છાશના ઔષધીય ગુણો અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવીશું. છાશનું સંસ્કૃત નામ તક્ર, અંગ્રેજીમાં તેને બટરમિલ્કના નામથી ઓળખવામાં આવે છે.   છાશનાં આયુર્વેદની દ્રષ્ટિએ ગુણદોષ જોઈએ તો                                 છાશ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર,ત્રિદોષશામક,અર્શનાશક(હરસ-મસાનો નાશ કરનાર) ,બલપ્રદ, તૃપ્તિકર,હ્રદયને માટે હિતકર,સંગ્રહણીનાશક ,ગ્રાહી( મળ બાંધનાર), ખાટી, તુરી,લઘુ(પચવામાં હળવી) વિપાકમાં મધુર છે.    દેવોને પણ દુર્લભ અને મૃત્યુલોકનું અમૃત કહેવાતી છાશ આયુર્વેદિકનું ખૂબ જ ઉત્તમ ઔષધ પણ છે.     છાશના આયુર્વેદિક ઉપયોગો જોઈએ તો  ૧) ભૂખ ન લાગતી હોય તો હિંગ્વાષ્ટક ચૂર્ણ નાખીને છાશ પીવી જોઈએ. ૨) બાળકોના ઝાડા માં બધો જ ખોરાક બંધ કરી ફક્ત છાશ પર રાખવાથી ઝાડા બંધ થઈ જાય છે.(છાશ ...

અનેક રોગોમાં ઉપયોગી ઔષધ જેઠીમધ

છબી
  અનેક રોગોમાં ઉપયોગી ઔષધ જેઠીમધ  નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા આયુર્વેદિક ઔષધ વિશે જાણકારી મેળવીશું કે જેનું નામ કોઈ આયુર્વેદપ્રેમીથી અજાણ્યું નથી.      ખૂબ જ જાણીતું અને સાવ સામાન્ય લાગતું ઔષધ એવું જેઠીમધના અસંખ્ય અને અસામાન્ય ફાયદાઓ જાણીને તમે આશ્ચર્યચકિત થયા વગર રહી શકશો નહીં. તેમજ આ ઔષધને જોવાની તમારી દ્રષ્ટિ સંપુર્ણ રીતે બદલાઈ જશે અને ખૂબ જ અહોભાવ ધરાવતા થઈ જશો.  જીહાં, મિત્રો ખુબ જ જાણીતા અને સામાન્ય જણાતા આ આયુર્વેદિક ઔષધનું શાસ્ત્રીય સંસ્કૃત નામ યષ્ટિમધુ છે. હિન્દીમાં તેને મુલેઠીના નામથી ઓળખવામાં આવે છે.  તેનું અંગ્રેજી નામ Liquorice Root છે. સૌપ્રથમ જેઠીમધના ઔષધીય ગુણો જોઈએ તો  જેઠીમધ સ્વાદમાં મધુર અને ઠંડુ (શીતળ), પચવામાં ભારે (ગુરુ),આંખો માટે હિતકર( ચક્ષુષ્ય), ચામડીનો રંગ સુધારનાર( વર્ણકર), વાળ માટે હિતકર( કેશ્ય), વાતપિત્તશામક, અવાજ સારો કરનાર( કંઠ્ય), રસાયણ,ક્ષય મટાડનાર,ઘા રુઝવનાર તથા વહેતું લોહી બંધ કરનાર ( વ્રણશુદ્ધિકારક) છે. અસંખ્ય રોગોમાં તેમજ ઇમર્જન્સીમાં પણ ખૂબ જ સુંદર અને આશ્ચર્યજનક પરિણામ આપતા જેઠી મધના ઔષધીય ઉપયોગો જોઈએ....