એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર
પાણી પણ ખાટુ થઈને નીકળી જતું હોય તેવી એસિડીટી (અમ્લપિત્ત )નો આયુર્વેદિક ઉપચાર નમસ્કાર મિત્રો, આજે આપણે એસીડીટી કે જેને આયુર્વેદમાં અમ્લપિત્ત કહે છે તેના વિશે તેમજ તેના આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું. શરદઋતુમા( ભાદરવો-આસો) પિત્તના પ્રકોપને કારણે વિશેષ રૂપે થતો આ રોગ આજકાલ આધુનિક અને અયોગ્ય આહારવિહારને કારણે બારેમાસનો રોગ બની ગયો છે. પ્રસાર માધ્યમોમાં ઈનો જેવી ગેસ- એસિડિટીની દવાઓની પુષ્કળ જાહેરાતો અને તેના બમ્પર વેચાણના આંકડા પરથી આ રોગ કેટલો વ્યાપક અને ઘેરઘેર સામાન્ય થઈ ગયેલો છે તેનો ખ્યાલ આવે છે. અમ્લપિત્તમાં (એસિડિટી) પિત્તદોષ મુખ્ય કારણરૂપ હોય છે. પિત્ત સ્વભાવથી ઉષ્ણ, તીક્ષ અને અમ્લ ( ખાટું) ગુણવાળું હોય છે. એસિડિટીમાં અમ્લ ગુણવાળા પિત્તનો પ્રકોપ હોવાથી દર્દીને ખાટી ઉલ્ટી થતી હોય છે. જેમનું પિત્ત અતિપ્રકોપિત થયેલું હોય તેમનું બધું ખાધેલું પીધેલું પણ ખાટું થઈને નીકળી જાય છે. ખાટી ઉલ્ટી થયા બાદ કડવાશ નીકળતી હોય છે. કડવો રસ એ પણ પિત્તનુ લક્ષણ છે. ઘણાં ગંભીર કેસમાં દર્દીને દિવસમાં અનેકવાર ખાટી અને કડવી ઉલટી થતી ...