લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા ( રાંઝણ) નો ઉપચાર
લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા (રાંઝણ)નો ઉપચાર નમસ્કાર મિત્રો આજે આપણે કમરના મણકાની ગાદીના ઘસારા અને તેના કારણે સાયટિકા નર્વ દબાવાને લીધે નિતંબ- સાથળ-પગનો થતો દુખાવો કે જેને આર્યુવેદની ભાષામાં ગૃધ્રસી અને દેશી ભાષામાં રાંઝણ કહે છે તે અંગેની માહિતી અને તેના ઉપચાર વિશે જાણકારી મેળવીશું. મિત્રો સાયેટિકાએ આપણા શરીરનો લાંબામાં લાંબો જ્ઞાનતંતુ છે. કમરના મણકાના નીચેના ભાગથી નીકળીને નિતંબ- સાથળ -પગ માંથી પસાર થતો જ્ઞાનતંતુ કમરના મણકાની ગાદીમાં થતા ઘસારાને કારણે દબાય છે અને તેના પર પ્રેશર આવવાથી દર્દીને અસહ્ય પીડા થાય છે અને ચાલવામાં ખુબ જ તકલીફ પડે છે. દર્દીને કમરનીચેથી શરૂ થઈ નિતંબ -સાથળ -પગમાં સતત દુખે છે. જ્યારે આરામ કરીએ ત્યારે દુખાવો ઘણો ઓછો હોય છે પરંતુ ચાલવામાં આવે ત્યારે દુખાવો વધી જાય છે. સાઈટીકા નર્વને આયુર્વેદમાં ગૃધ્રસીનાડી કહે છે. આધુનિક એલોપથી ચિકિત્સામાં ડોક્ટર દ્વારા ...