પોસ્ટ્સ

લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા ( રાંઝણ) નો ઉપચાર

છબી
         લમ્બર સ્પોન્ડિલોસિસ સાયેટિકા                   (રાંઝણ)નો ઉપચાર      નમસ્કાર મિત્રો આજે આપણે કમરના મણકાની ગાદીના ઘસારા અને તેના કારણે સાયટિકા નર્વ દબાવાને લીધે નિતંબ- સાથળ-પગનો થતો દુખાવો કે જેને આર્યુવેદની ભાષામાં ગૃધ્રસી અને દેશી ભાષામાં રાંઝણ કહે છે તે અંગેની માહિતી અને તેના ઉપચાર વિશે જાણકારી મેળવીશું.    મિત્રો સાયેટિકાએ આપણા શરીરનો લાંબામાં લાંબો જ્ઞાનતંતુ છે.       કમરના મણકાના નીચેના ભાગથી નીકળીને નિતંબ- સાથળ -પગ માંથી પસાર થતો જ્ઞાનતંતુ કમરના મણકાની ગાદીમાં થતા ઘસારાને કારણે દબાય છે અને તેના પર પ્રેશર આવવાથી દર્દીને અસહ્ય પીડા થાય છે અને ચાલવામાં ખુબ જ તકલીફ પડે છે.     દર્દીને કમરનીચેથી શરૂ થઈ નિતંબ -સાથળ -પગમાં સતત દુખે છે.  જ્યારે આરામ કરીએ ત્યારે દુખાવો ઘણો ઓછો હોય છે પરંતુ ચાલવામાં આવે ત્યારે દુખાવો વધી જાય છે.     સાઈટીકા નર્વને આયુર્વેદમાં ગૃધ્રસીનાડી કહે છે.     આધુનિક એલોપથી ચિકિત્સામાં ડોક્ટર દ્વારા ...

દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર

છબી
 દમ-અસ્થમાના રોગીઓ માટે ઉપયોગી આહાર વિહાર        નમસ્કાર મિત્રો ,શિયાળાની ઠંડી અને ચોમાસાની ભેજવાળી હવામા અસ્થમાના રોગીઓને શ્વાસ લેવા મુકવામાં ખુબ જ તકલીફ પડે છે.    * ઠંડીની ઋતુને કારણે અને ચોમાસામાં મંદ થઈ જતા જઠરાગ્નિને કારણે શરીરમાં કાચો કફ વધી જાય છે એટલે શ્વાસ નુ વહન કરનાર સ્ત્રોતો ભરાઈ જાય છે તેથી શ્વાસ લેવા મુકવામાં કષ્ટ પડે છે.    * ઉપરાંત દમ થવાનું મુખ્ય કારણ વાયુ છે. વાયુના રુક્ષ ગુણને કારણે શ્વાસનળીઓની અંદરની દીવાલ રુક્ષ થઈ જાય છે એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન સંકોચ વિકાસ ( Expansion and contraction)ની ક્ષમતા ઘટી જાય છે.            દમના રોગીઓ માટે પરેજી    * ચીકણા, ગળ્યા, તળેલા અને ઠંડા પદાર્થનો ત્યાગ કરવો.આવા પદાર્થના સેવન કરવાથી કફ અને વાયુ વધે છે તેથી શ્વાસના દર્દીઓને ખુબ જ તકલીફ પડે છે.  * કોરા,શેકેલા ,બાફેલા તેમજ તાજો ગરમા ગરમ ખોરાક લેવા લેવો.  હલકો ખોરાક લેવાથી જઠરાગ્નિ મંદ થતો નથી અને ધીમે ધીમે પ્રદીપ્ત થાય છે.   પ્રદિપ્ત થયેલો જઠરાગ્નિ શરીરમાં ભેગા થયેલા કફનો ના...

શરદઋતુમાં સ્વસ્થ કેવી રીતે રહેવું

છબી
 નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો પુરો થવાની તૈયારીમા છે અને ભાદરવો મહિનો શરૂ થશે.     ભાદરવો- આસો મહિનાને ( શરદઋતુ) આયુર્વેદમાં રોગોની ઋતુ કહેવામાં આવી છે.    વર્ષાઋતું( અષાઢ- શ્રાવણ) માં શરીરમાં સંચિત (ભેગું) થયેલું પિત્ત શરદઋતુના પ્રખર તડકામાં પ્રકોપ પામે છે ( શરદઋતુનો તડકો ઉનાળા કરતાં પણ વધુ આકરો હોય છે)      આ પ્રકોપ પામેલા પિત્તને કારણે જ આ ઋતુમાં પિત્તજન્ય બિમારીઓ જેવી કે કમળો, ટાઈફોઈડ, મલેરીયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા, ઝેરી મલેરિયા જેવા રોગો થાય છે. એક વાત ખાસ કહું તો મચ્છર કરડવાથી તાવ આવે છે એવું આયુર્વેદ માનતું નથી અને આયુર્વેદના કોઈ ગ્રંથોમાં મચ્છર કરડે તો તાવ આવે છે એવો કોઈ ઉલ્લેખ નથી.        હવે આ સિઝનમાં સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રહેવું તે માટેની આયુર્વેદની ગાઈડ લાઈન આપવાનો વિનમ્ર પ્રયાસ કરું છું.     ૧) આ સિઝનમાં કાકડી, ભીંડા, ગલકાં, તુરિયા, ચીભડાં, દહીં, છાશ, અથાણાં, વધુ પડતાં તીખા, ખારાં ( નમક), ખાટાં પદાર્થોનું સેવન ન કરવું કે જે આ ઋતુમાં પિત્ત વધારે છે.        ૨) શરદઋતુનો તડકો ઉનાળા ...

પુસ્તક પરિચય

છબી
 પુસ્તક પરિચય:-  મિત્રો, કોરોના કાળબાદ લોકોમાં આયુર્વેદ પ્રતિ વિશ્વાસ અને જાગરૂકતા વધી છે.વધુને વધુ લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર આયુર્વેદિક ઉપચાર અને જીવનશૈલી ધરાવતા કંટેન્ટ ટ્રેન્ડ કરી રહ્યા છે ત્યારે સૌને મુંઝવતો પ્રશ્ર એ છે કે આયુર્વેદ વિશે સાચી અને શાસ્ત્રોક્ત માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવવી કે જે આપણે સમજી શકીએ અને જરુર પડે ત્યારે રેડી રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકાય. તો આજે આપણે ગુજરાતી ભાષામાં લખાયેલા ગ્રંથ વિશે માહિતી મેળવીશું.મુળ મરાઠી આયુર્વેદ શાસ્ત્રી વૈધરાજ શંકર દાજીપદેજી દ્ધારા લિખિત અને વ્યાસ હરિકૃષ્ણ ભગવાનદાસ ‌ધ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદિત ગ્રંથનું નામ છે " આર્યભિષક" ( ગુજરાતી અર્થ હિન્દુસ્તાનનો વૈધરાજ) . આશરે ૮૦૮ પાનાનો પાકાં બાઈન્ડીંગ વાળો ગ્રંથ સૌ પ્રથમ ઈ.સ.૧૮૯૪મા ( ૧૨૭ વર્ષ પહેલાં) પ્રકાશિત થયો હતો અને અત્યાર સુધી તેની ૨૮ આવૃત્તિઓ થઈ છે (૨૦૦૮ સુધી) તેના પરથી તેની ઉપયોગીતા અને લોકચાહનાનો અંદાજ આવે છે. આયુવૅદના વિધાર્થીઓ, અધ્યાપકો, વૈદ્યો અને ઈવન આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ પણ તેનો રેફરન્સ તરીકે ઉપયોગ કરે છે.ગ્રંથમાં કુલ ૬૨૩ જેટલી ...

વાળની તમામ સમસ્યાઓનો એક ઈલાજબ્રાહ્મી આમળાં કેશતેલ

છબી
 વાળની તમામ સમસ્યાઓનો એક ઈલાજ બ્રાહ્મી આમળાં કેશતેલ:-            નમસ્કાર મિત્રો, આજની આપણી આધુનિક જીવનશૈલી,તણાવ અને હાનિકારક કેમિકલ્સ યુક્ત હેર કલર્સ- શેમ્પૂને કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા,ખરવા લાગવા,ખોડો અને માથે ટાલ પડવા જેવી સમસ્યા ઘેર ઘેર સામાન્ય થઈ ગઈ છે ત્યારે આજે આપણે આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ખાતરીલાયક હેરઓઈલ ઘરે જાતે કેવી રીતે બનાવવું તે વિશે જાણકારી મેળવીશું. આ તેલ બનાવવા માટે  ૧) બ્રાહ્મી- ૨૫૦ ગ્રામ  ૨) આમળાં- ૨૫૦ ગ્રામ  ૩) નસોતર- ૨૫ ગ્રામ  ૪) દાંતીમુળ- ૨૫ ગ્રામ  ૫) વાવડીંગ -૨૫ ગ્રામ  ૬) ગરમાળો- ૫૦ ગ્રામ  ૭) મરી - ૧૦ ગ્રામ ( કુલ- ૬૩૫ ગ્રામ સુકું અને અધકચરું ખાંડેલું) આ દરેક ઔષધો મિક્સ કરી આઠ ગણા પાણીમાં ( ૫૦૮૦ મિલી લીટર) ધીમા તાપે ઉકાળવું.આશરે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ( ૧૨૭૦ મિલી) ત્યારે ગાળી લેવું.ગાળેલા ઉકાળામાં ( અલગ મોટું તપેલું લેવું કેમકે તેલ ઉકળે ત્યારે ઉભરો આવે છે) ૨.૫ કિલો શુધ્ધ તલનું તેલ નાખી ધીમા તાપે ઉકાળવું અને ઉકાળતી વખતે તેમાં  ૧) કપુર કાચલી - ૨૫ ગ્રામ  ૨) કચુરો - ૨૫...

દિવાળી પર ખાવામાં આવતા મઠિયાં પાછળનું આયુર્વેદિક સાયન્સ

છબી
 દિવાળી પર ખાવામાં આવતા મઠિયાં પાછળનું આયુર્વેદિક સાયન્સ :-  મિત્રો દિવાળી પર આપણે હોંશભેર મઠિયાં ખાઈએ છીએ અને મહેમાનોને પણ ખવડાવીએ છીએ. તો ચાલો આ મઠિયાંનું આયુર્વેદિક મહત્વ સમજીએ.  દિવાળી શરદ ( ભાદરવો - આસો) અને હેમંત ( કારતક - માગશર) ઋતુના સંધિકાળમાં આવે છે. શરદ ઋતુનો અંત ( પિત્તનો પ્રકોપકાળ) જ્યારે હેમંતની શરૂઆતમાં વાયુનો પ્રકોપ અને કફનો સંચય થાય છે. આ સમયે ત્રણેય દોષ ( કફ, પિત્ત અને વાયુ) ઓછાવત્તા પ્રમાણમાં વિકૃત થવાથી સંસર્ગજન્ય ( ચેપી) રોગ થાય છે.  એટલે આ ઋતુમાં ત્રણેય દોષોની શાંતિ માટે સંપૂર્ણ શાસ્ત્રીય આહાર મઠિયાનો આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  મઠિયામાં મુખ્ય ઘટક ( ingredient) મઠ છે. મઠ ત્રણેય દોષોને શાંત કરનાર આહાર આ ઋતુમાં બને છે. ઉપરાંત તેમાં તલના તેલનું મોણ, અજમો, હિંગ, સિંધવ મીઠું વગેરે મસાલા નાખવામાં આવે છે. તળવા માટે તલનું તેલ સુચવવામાં આવ્યું છે. દરેક દ્રવ્યોના ગુણ જોઈએ તો  ૧) મઠ રસથી મધુર, રુક્ષ અને શીતળ છે. મધુર હોવાથી પિત્તનું શમન કરે છે.  ૨) તળવા માટે વપરાતું તલનું તેલ કડવું અને તુરા રસવાળું હોવાથી વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ વ...

કાળા મરીના અદભુત ઘરગથ્થુ પ્રયોગો

છબી
 **કાળા મરીના અદભુત ઘરગથ્થુ પ્રયોગો**      નમસ્કાર મિત્રો,આજે આપણે સર્વત્ર ઘેર ઘેર જાણીતા અને જેના વગર ભારતીય રસોઈ અને ગરમ મસાલા અધુરા છે તેવા મરી અને તેના ઔષધીય ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.       કાળા મરીને સંસ્કૃતમાં "મરીચ" અને અંગ્રેજીમાં "બ્લેક પીપર"કહે છે.            ભારતીય રસોઈ અને ગરમ મસાલામાં ખૂબ જ જાણીતા મરી ઉત્તમ અસરકારક ઔષધ પણ છે.         મરીના ઔષધીય ગુણદોષ જોઈએ તો મરી રસમાં તીખા,વાયુ- કફનાશક, ઉષ્ણવીર્ય ( ગરમ), રુચિકારક અને અગ્નિને પ્રદીપ્ત કરનાર અને જઠરાગ્નિ વધારનાર છે.          મરીના ઘરગથ્થુ ઔષધીય ઉપયોગો:- ૧) ઊધ્વવાયુ (ઊંધો ગેસ):-          જેમને ઊંધો ગેસ અને મોટા મોટા ઓડકાર આવતા હોય તેમણે જમવાના એક કલાક પહેલા સવાર-સાંજ નાગરવેલના ડીંટડું કાઢેલા કોરા કપુરી પાન માં ત્રણ દાણા મરી અને એક એલચી ફોલી તેના દાણા મુકીને ધીમે ચાવી જવું.   આ પ્રયોગથી વાયુનું અનુલોમન થાય છે અને 15-20 દિવસના ઉપચારથી ઊંધો ગેસ તથા ઓડકાર મટે છે. પરેજીમાં તેલ અને ફર...